થરાદ: ડોડગામ ગામે ભરાયેલા વરસાદી પાણી માંથી બે યુવાનો ના મૃતદેહ મળી આવતાં ખળભળાટ
India | Sep 20, 2025
થરાદ ના ડોડગામ ગામ નજીક થી ભરાયેલાં વરસાદી પાણી માં કોઈ અજાણ્યા શખ્સોના મૃતદેહ હોવાનું સામે આવતાં થરાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી જ્યાં ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અને જીવનાં જોખમે અને ભારે પાણી વચ્ચે કોહવાઈ ગયેલા મૃતદેહ ફાયર ટીમે બહાર કાઢ્યા હતા. અને પોલીસ ને સોંપવા માં આવ્યાં હતાં.

Good Information
ReplyDelete