ડોડગામ વિશે

ડોડગામ વિશે

🌾 ડોડગામ ગામ – પરિચય

📍 સ્થાન

ડોડગામ (તા. થરાદ) ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં, વાવ–થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં આવેલું ગામ છે.

👨‍🌾 મુખ્ય વ્યવસાય

અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે.

🌱 મુખ્ય પાક

ઘઉં, જીરુ, વરિયાળી, રાયડો, બાજરી, કપાસ, દિવેલા, રજકો અને વિવિધ શાકભાજીના પાકોની ખેતી કરવામાં આવે છે.

🏫 સુવિધાઓ

ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા (નવયુગ વિદ્યામંદિર), પંચાયતઘર, આંગણવાડી, PHC દવાખાનું તથા દૂધની ડેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

⛪ મંદિર

ગામમાં ઠાકર (નકળંગ) ભગવાનનું મંદિર આવેલું છે. કારતક સુદ ૨ના રોજ અહીં મોટો મેળો ભરાય છે. દર મહીનાની અજવાળી બીજના દિવસે ભક્તો દર્શન માટે આવે છે.

🛣️ પહોંચવાનો માર્ગ

થરાદથી વાયા ખાનપુર–નાગલા માર્ગે અંદાજે ૧૦ કિ.મી. દૂર છે.

તેમજ થરાદ–મીઠા રોડ પર જાંદલાથી ૩ કિ.મી. અંતરે ડાંબર રોડ મારફતે પણ ડોડગામ આવવાનો માર્ગ છે.

📍 ડોડગામ ગામ – સ્થાન નકશો

ગુજરાત • તાલુકો : થરાદ • જિલ્લા : વાવ-થરાદ

🧭 થરાદથી ડોડગામ અંતર : 10 KM
🛣 રોડ : વાયા ખાનપુર – નાગલા / જાંદલા મીઠા રોડ